કેટેગરી: YOGA
21 Jul, 2024

જલ નેતિ :નેતિ: નાક દ્રારા જુદા જુદા પદાર્થોને ગ્રહણ કરવાની રીતને નેતિ કહે છે.

નેતિના પ્રકારો:

{૧} જલ નેતિ {૨} સૂત્ર નેતિ { ૩}ધૃત નેતિ {૪}તેલ નેતિ {૫}દૂધ નેતિ 

જલ નેતી એ એક પ્રાચીન યોગિક વિધિ છે. જેના દ્રારા નાકના માર્ગને  શુદ્ધ કરવામાં આવે છે. 

જલ નેતિના ફાયદાઓ:

૧ શ્વાસપ્રણાલી શુદ્ધ કરે છે.

૨ એલર્જી અને હાયફીવરથી રાહત આપે છે. 

૩ શ્વાસ લેવામાં સરળતા પ્રદાન કરે છે.

૪ સાઈનસ ઇન્ફેક્શનથી બચાવે છે.

૫ માનસિક આરામ મળે છે. 

૬ ધૂળ અને પ્રદુષણ દુર કરે છે.

જલ નેતી માટે જરૂરી સામગ્રી :

નેટી પોટ {neti pot}, શુદ્ધ હુંફાળું પાણી અને સિંધાલૂણ નમક.

જલ નેતિ કર્યા પછી જરૂરી પગલા.

જલ નેતિ કર્યા પછી નાકમાં રહેલું પાણી બહાર કાઢવા માટે થોડી વાર નાકને ધીમેથી ફુકતા રહેવું. અને ત્યાર બાદ ભસ્ત્રિકા અથવા કપાલભાતી પ્રાણાયામ કરવા.


આ પેજ ને સેર કરો:

જોડાયેલ રહો

નીચે તમારું ઇમેઇલ એડ્રેસ આપો અને મારા નવા વિડિઓ, બ્લોગ અથવા નવા અપડેટ્સ ની માહિતી પ્રથમ મેળવો.

Thank you for subscribe with us!